આપણી લમાણ વસ્તીના સ્ત્રી-પુરુષો, દૂધ પહોંચાડવા માટે તે ગામના લગભગ દરેક ઘરમાં જતાં હતાં કારણ કે તેમના દૂધમાં ટીપું પણ પાણી નાખેલું નહોતું અને તેના લીધે ગામના દરેકને આ લમાણોનું દૂધ ખૂબ જ ગમવા લાગ્યું હતું.
કાશીબાઈ એકલી જ શાંતિથી દુલ્હેરાવના વાડાની એકદમ નજીક આવેલા એક તળાવના કિનારે બેઠી હતી. તેના મનમાં અસંખ્ય વિચારો ઉમટી રહ્યા હતા. તેને ગમે તે રીતે દુલ્હેરાવનો ઘાત તો કરવો જ હતો, પણ તેનું સાચું નિશાન હતું, બ્રિગેડિયર સ્મિથ કારણ કે બ્રિગેડિયર સ્મિથ દોઢ વર્ષ પહેલાં ઝાંસીમાં રહેતો હતો ત્યારે, ઝાંસીના અનેક રહીશો સાથે તેણે ખૂબ સારા સંબંધો રાખ્યા હતા અને તેમાંથી જ કેટલાક લોકોને તેણે અલગ-અલગ રીતે વશ કરી લીધા હતા અને તેમના જ સહારે તેણે રાણી લક્ષ્મીબાઈને લડાવતાં-લડાવતાં એવી જગ્યાએ પહોંચાડી દીધી હતી કે જ્યાંથી તે રાણી લક્ષ્મીબાઈનો સહેલાઈથી ઘાત કરી શકે તેમ હતો. તે અઘરી જગ્યા તેણે પોતે જ શોધી કાઢી હતી અને ત્યાં મોટા-મોટા પથ્થરોની વિશાળ રચના કરી રાખી હતી. તે પથ્થરોની સામે લક્ષ્મીબાઈ આવતા જ, તે પથ્થરો પાછળ છુપાયેલા સ્મિથે પથ્થર પર કૂદીને, લક્ષ્મીબાઈની પીઠમાં તલવાર આરપાર હુલાવી દીધી હતી. રાણી લક્ષ્મીબાઈના વહાલા ઘોડા એટલે કે બાદલના ચારેય પગમાં ગોળીઓ પણ આ બ્રિગેડિયર સ્મિથે પોતે જ મારી હતી.
આ આખી ઘટના કાશીબાઈને તેની, ‘સુંદરબાઈ’ નામની ખાસ બહેનપણીએ ત્રણ દિવસ પહેલાં જ કહી હતી. આ સુંદરબાઈ હંમેશા મુંદર બેગમ એટલે કે મુંદર ખાતૂન સાથે જ રહેતી હતી.
પરંતુ લડાઈના તે છેલ્લા તબક્કામાં સુંદર ઘાયલ થઈને જમીન પર પડી અને એક ઘોડાની લાત વાગવાને લીધે તે પથ્થરોના ઢગલાના ઓથે જઈને પડી હતી. તેના હાથમાંથી તલવાર છૂટી ગઈ હોવાથી, તે કોઈ મૃત સૈનિકનું શસ્ત્ર મેળવવા માટે ધીરે-ધીરે આગળ સરકી રહી હતી અને એ જ વખતે સ્મિથે રાણી લક્ષ્મીબાઈ પર ખૂની અને કાયર હુમલો કર્યો.
બંને પગ નકામા થઈ ગયા હોવાથી સુંદરબાઈ ઊભી થઈ શકતી નહોતી અને તેથી તે વેરની ભાવનાથી વધુ સળગી ઉઠી અને ફરીથી પેલા પથ્થરો પાછળ છુપાઈ ગઈ અને આખો દિવસ ત્યાં જ છુપાયેલી રહી. ત્યારબાદ, એટલે કે બ્રિટિશ સૈનિકો ત્યાંથી હટ્યા પછી સુંદરબાઈ બીજી રાત્રે ઢસડાતી-ઢસડાતી નજીકની એક આદિવાસી વસ્તીમાં ગઈ અને ત્યાં પગની સારવાર કરાવીને, તે આ લોકોને શોધતી-શોધતી લમાણ વસ્તીમાં ત્રણ દિવસ પહેલાં જ આવી પહોંચી હતી.
સુંદરબાઈ માટે હજી પણ દસ-વીસ ડગલાંથી વધુ ચાલવું શક્ય નહોતું અને તેના મનમાં તો વેરની ભાવના ખૂબ પ્રબળ હતી. કાશીબાઈએ સુંદરને વચન આપ્યું હતું કે તે પોતે જ દુલ્હેરાવ અને સ્મિથ એ બંનેને તેમના ઘોર પાપની સજા આપશે. કાશીબાઈ આજે તળાવ પાસે ‘રામદીન વાલ્મીકિ’ની રાહ જોતી બેઠી હતી. તેણે જ સુંદરબાઈને અહીં લાવીને મૂકી હતી અને તે આજે મધ્યરાત્રિએ તળાવ પાસે આવવાનો હતો, બ્રિગેડિયર સ્મિથનું પૂરેપૂરું ઠેકાણું શોધીને.
રામદીન વાલ્મીકિ એ ‘શહીદ માતાદીન વાલ્મીકિ’નો મોટો દીકરો હતો. માતાદીન વાલ્મીકિ એ મંગલ પાંડેની છાવણીમાં સાફ-સફાઈનું કામ કરનારો સૈન્ય કર્મચારી હતો. તેણે જ મંગલ પાંડેને બ્રિટિશરો પાસેથી મળનારી નવી રાઈફલો વિશે ‘કંઈક ગરબડ હોવાનું’ જણાવ્યું હતું અને તેના જ લીધે મંગલ પાંડેએ તેની જ મદદથી કારતૂસો વિશેની ઊંડી માહિતી મેળવી હતી.
ઘણા સૈનિકો માતાદીનને ‘માતાદીન ભંગી’ કહીને બોલાવતા હતા કારણ કે તે ભંગીકામ કરતો હતો પરંતુ મંગલ પાંડે, આ ઘટના પછી તેને ‘માતાદીન વાલ્મીકિ’ કહીને બોલાવવા લાગ્યા. આ માતાદીનને મંગલ પાંડેની સાથે જ બ્રિટિશરો સામે લડતા પકડવામાં આવ્યા અને આગળ જઈને ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા.
આ કારણે પિતાના પગલે ચાલીને રામદીન વાલ્મીકિ, પહેલાં ધનસિંહ ગુર્જર સાથે જોડાયો અને ધનસિંહ ગુર્જરના મૃત્યુ પછી ઝાંસીની રાણીના સૈન્યમાં આવીને દાખલ થયો હતો અને મોતીબાઈ તેમજ કાશીબાઈની સૂચના મુજબ જ બ્રિટિશ છાવણીમાં સાફ-સફાઈના કામ પર રહ્યો હતો અને મોતીબાઈની જ યોજના મુજબ બ્રિગેડિયર સ્મિથની છાવણીમાં ‘સફાઈ કામદાર’ તરીકે ઘૂસ્યો હતો.
કાશીબાઈ આતુરતાથી રામદીન વાલ્મીકિની રાહ જોતી બેઠી હતી. બરાબર મધ્યરાત્રિ થતા-થતા રામદીન ત્યાં આવી પહોંચ્યો અને તેણે બ્રિગેડિયર સ્મિથની છાવણીનું ઠેકાણું વિગતવાર કાશીબાઈને સમજાવ્યું. કાશીબાઈએ તેને ફરીથી બ્રિગેડિયર સ્મિથની છાવણીમાં જ મોકલી દીધો અને પૂનમની રાત્રે એટલે કે આઠ દિવસ પછી સ્મિથની છાવણીમાં જ તેની રાહ જોવાનું કહ્યું.
પૂનમની રાત્રે દુલ્હેરાવના ઘરમાં દુર્ગા દળની 40 સ્ત્રીઓ દાસીઓના વેશમાં ઘૂસીને બેઠી હતી. તેના એ વિશાળ વાડામાં કેટલાય નોકર-ચાકર દરરોજ આવતા-જતા હતા અને તેથી ગમે તેટલા લોકો અંદર ઘૂસી શક્યા હોત અને બીજું મહત્વનું કારણ એ હતું કે પૂનમને દિવસે સાંજે દુલ્હેરાવની મોટી પત્નીના પહેલા પુત્રનું નામકરણ હતું અને તેના માટે ઘણા સંબંધીઓ પોતપોતાના નોકરો અને દાસીઓ સાથે રહેવા આવ્યા હતા.
રાત્રે દુલ્હેરાવના વાડામાં બધું શાંત થતાની સાથે જ આ 200 લમાણ સ્ત્રી-પુરુષોએ, અંદરથી અને બહારથી એકસાથે જોરદાર હુમલો કર્યો. મોટે-મોટેથી શંખ ફૂંકીને મોતીબાઈએ અને સરદાર મંજુનાથ પહાડીએ બધાને પહેલાં બરાબર જગાડ્યા હતા. તેમને ઊંઘતા કોઈને પણ મારવા નહોતા. સાથે જ ગામવાળા માટે ‘બ્રિટિશ ઓફિસર’ બનેલી મુંદર બેગમે આપેલી નિશાની હતી કે શંખનાદ થયા પછી કોઈએ પણ દુલ્હેરાવની મદદે આવવું નહીં.
આ દરેક લમાણ સ્ત્રી-પુરુષ પાસે ઓછામાં ઓછા બે શસ્ત્રો હતા જ. લાલાભાઉ બક્ષી અને મુંદરબાઈ પાસે બબ્બે રાઈફલો હતી અને તે બંને દુલ્હેરાવના માણસોને વીણી-વીણીને મારવાના હતા - ફક્ત દુલ્હેરાવને છોડીને. જોરદાર જંગ શરૂ થયો. દુલ્હેરાવના આવેલા સંબંધીઓ, નોકર-ચાકરો પણ આ જોરદાર હુમલાને લીધે ગભરાઈને ભાગવા લાગ્યા. તેના જે નોકરો અને સૈનિકો લડવા લાગ્યા, તે દરેકને તલવારના ઘા ઝીંકીને મારી નાખવામાં આવ્યા.
છેવટે એકલો દુલ્હેરાવ બચ્યો અને તેને હાથ-પગ બાંધીને દોરડાથી ખેંચતા-ખેંચતા તેના વાડાના વિશાળ પ્રવેશદ્વાર સામેના એક મોટા ઝાડની ડાળી પર લટકાવી દેવામાં આવ્યો. તેના દેહને દરેક જણ એક-એક ફટકો મારી રહ્યું હતું અને તેની સાથે તેનો લટકતો દેહ ગમે તેમ ઝૂલી રહ્યો હતો.
જોરજોરથી પણ અલગ રીતે ફરી એકવાર શંખ વાગવા લાગ્યા અને આ નિશાની સાથે ગામના બધા લોકો ત્યાં ભેગા થયા. વાડામાંથી દુલ્હેરાવની બધી સ્ત્રીઓ આ બધું જોઈ જ રહી હતી. આપણો દરેક લમાણ સૈનિક ધીરે-ધીરે દુલ્હેરાવના દેહને પોતાની તલવારની અણીથી ટોચી-ટોચીને બેહાલ કરવા લાગ્યો. આની સાથે જ મોતીબાઈએ પોતે હાથમાં ચાબુક લઈને તેના પર ફટકા મારવાનું શરૂ કર્યું. દુલ્હેરાવની આ હાલત જોવી ગામલોકો માટે શક્ય નહોતું. પણ આપણા બસો સશસ્ત્ર લમાણોને માત્ર વધુ શસ્ત્રો જ નહીં, પણ દુલ્હેરાવના ઘરના તબેલામાંથી એક-એક ઘોડો પણ મળ્યો હતો અને આ ઘોડેસવાર સૈન્યનો સામનો કરવાની કોઈની તાકાત નહોતી.
ત્રણ કલાક સુધી આવી રીતે તેને હેરાન કર્યા પછી તેના પેટમાં મોતીબાઈએ અને મુંદર બેગમે પોતે તલવારો હુલાવીને તેના આંતરડા બહાર કાઢી નાખ્યા અને તે બધા લમાણ સૈનિકો ફટાફટ ત્યાંથી નીકળવા લાગ્યા. છેલ્લે નીકળતા સરદાર મંજુનાથ પહાડીએ પોતાના ગુંજતા અવાજમાં ત્યાં હાજર લોકોને કહ્યું કે ભારતમાતા અને રાણી લક્ષ્મીબાઈ સાથે ગદ્દારી કરવા બદલ આ સજા છે અને આવી જ સજા દરેક ગદ્દારને મળતી રહેશે. આ કડક સંદેશ બ્રિટિશ વાઈસરોય સુધી પણ માત્ર સાત જ દિવસમાં પહોંચી ગયો.
આપણા લમાણ સૈનિકો દોડતા જંગલમાંથી સ્મિથની છાવણી તરફ આગળ વધ્યા. પણ બધાને એક જ પ્રશ્ન થયો - ‘કાશીબાઈ ક્યાં છે?’
(વાર્તા ચાલુ)
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>
Comments
Post a Comment