ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 17

 

 

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 17

મોતીબાઈ અને સરદાર મંજુનાથ પહાડીના નેતૃત્વ હેઠળ આ બધા લોકો લમણ આદિવાસીઓના વેશમાં જંગલમાંથી બીજી દિશામાં બહાર નીકળવા લાગ્યા. મોતીબાઈએ લમણોના કપડાં, જરૂરિયાતના સમયે તે ‘ખૂન કી ઘાટી’માં રહેલા એક લમણ ટોળી પાસેથી મેળવ્યા હતા અને તેના બદલામાં તેમને પુષ્કળ ધન પણ આપ્યું હતું. વળી તે લમણો પણ બ્રિટિશ છાવણીની વિરુદ્ધ દિશામાં જ પ્રવાસ કરી રહ્યા હતા, એટલે કોઈને તેની ચિંતા નહોતી.

પરંતુ મોતીબાઈ હજુ એટલી શાંત નહોતી. કારણ કે તેમની પાસે લમણોના કપડાં અને મણકાના ઘરેણાં તો હતા, પણ લમણો પાસે હંમેશા રહેતા પશુ-પંખીઓ (ઢોર-ઢાંખર) નહોતા અને પેલી લમણ ટોળી પોતાના પશુઓ આપવા તૈયાર નહોતી. મોતીબાઈ અને મુંદરબાઈ મળીને આ વીસ લોકો, લમણ સ્ત્રી-પુરુષોના વેશમાં ‘પલધાડી’ ગામ તરફ નીકળ્યા. તેણે તે ગામે જવાનું કેમ નક્કી કર્યું, તે વિશે કોઈને કાંઈ ખબર નહોતી. પણ કોઈએ કંઈ પૂછ્યું પણ નહીં.

બરાબર પરોઢ થતા-થતા આ વીસ લોકો પલધાડી ગામની સીમા પાસે આવી પહોંચ્યા. ગામની બહાર જ દુર્ગામાતાનું એક નાનું મંદિર હતું, જે બધાના પરિચયનું હતું. મોતીબાઈએ બધાને, લમણો પાસેથી મળેલા સામાનની મદદથી આ મંદિરની બાજુમાં જ પાંચ તંબુ ઉભા કરવા કહ્યું - બિલકુલ અસલી લમણોના તંબુ જેવા; અને તે પોતે કોઈની રાહ જોતી હોય અથવા કોઈને શોધતી હોય તેમ મંદિરની પાછળ રહેલા એક ઊંચા પથ્થર પર જઈને બેસી ગઈ.

પરોઢ પૂરું થઈને સવાર થવાનો સમય નજીક હતો. પૂરેપૂરું અજવાળું થાય તે પહેલાં ઘોડાની વ્યવસ્થા કરવી જરૂરી હતી, એ દરેકને સમજાતું હતું. પણ કોઈની પાસે કોઈ રસ્તો નહોતો. બાકીના ૧૯ જણા લમણ તંબુ બાંધીને અને તેમાં લમણો પાસેથી લીધેલા માટીના વાસણો અને ટોપલીઓ ગોઠવીને, લમણોની જેમ જ સવાર-સવારમાં બળતણ માટે લાકડાં વીણવા લાગ્યા. નસીબજોગે હજુ સુધી કોઈ ગામવાસી મંદિર તરફ આવ્યો નહોતો.

મોતીબાઈ પેલા ઊંચા પથ્થર પરથી આ બધાને ઈશારો કરીને નીચે ઉતરવા લાગી અને એટલામાં જ મંદિરની જમણી બાજુની ગીચ ઝાડીઓમાંથી એક પાગલ જેવી દેખાતી અને વિચિત્ર ચાળા કરતી સ્ત્રી દોડતી આગળ આવી. મુંદરબેગમ અને બીજા બે સાથીઓને શંકા ગઈ અને તેઓ તેને પકડવા માટે તેની સાવ નજીક જઈ પહોંચ્યા. પરંતુ પથ્થર પરથી ઉતાવળે ઉતરેલી મોતીબાઈએ તે બધાને હાથના ઈશારાથી રોક્યા અને એ જ સમયે પાછળથી આવતા લોકોમાંથી રાજકુંવર યાદવ ચપળતાથી આગળ આવી.

રાજકુંવર ધીમા અવાજે બધાને કહેવા લાગી, “આ ‘કાશીબાઈ કુંબીન’ છે. (કેટલીક જગ્યાએ ‘કાશીબાઈ કુણબીણ’ એવો ઉલ્લેખ પણ મળે છે.) તેની પાસે જ દામોદરરાવ (રાણી લક્ષ્મીબાઈના દત્તક પુત્ર) ને સોંપ્યા છે અને તે પલધાડી ગામની એક ઝૂંપડીમાં જ ‘એક પાગલ બાઈ’ તરીકે તેના નાના દીકરા સાથે રહી રહી છે. હું પણ તેને પહેલા ઓળખી શકી નહીં, એટલું જબરદસ્ત તેણે વેશાંતર કર્યું છે.”

મોતીબાઈ નજીક આવતા જ તેણે કાશીબાઈને ખૂબ જ આવેગથી જોરથી આલિંગન આપ્યું. તે બંને નાનપણની જીવજાન સહેલીઓ હતી. મોતીબાઈના આલિંગન પરથી જ કાશીબાઈ સમજી ગઈ કે ‘રાણી લક્ષ્મીબાઈ હવે આ દુનિયામાં રહ્યા નથી.’ તે પોતાના આંસુ રોકી શકી નહીં. તેને સંભાળવાનું કામ મોતીબાઈ અને રાજકુંવર માટે પણ અઘરું થઈ રહ્યું હતું. કાશીબાઈ અને મોતીબાઈ બંને રાણી લક્ષ્મીબાઈની ખૂબ નજીકની સખીઓ હતી અને મુખ્ય વાત એ હતી કે કાશીબાઈ મોરોપંતની ખાસ મદદનીશ હતી અને આ વાત ફક્ત મોતીબાઈને જ ખબર હતી.

છેવટે સરદાર મંજુનાથ પહાડીએ સમયની ગંભીરતા પારખી અને વડીલ તરીકે તે બંને યુવાન સ્ત્રીઓને કહ્યું, “તમે બંને મારી મોટી દીકરી કરતા પણ નાની છો. એટલે પિતાના નાતે કહું છું કે આ સમય શોક કરવાનો નથી, એ શું તમને સમજાતું નથી? એવું તે શું રહસ્ય છે કે જેને લીધે તમે બંને આટલા હોશિયાર હોવા છતાં ભાન ભૂલી બેઠા છો?”

તે સાંભળતા જ બંને સાવધ થઈ ગયા. મોતીબાઈએ બધાને જણાવ્યું, “રાણી લક્ષ્મીબાઈએ, પોતાના મૃત્યુ પછી આપણા જેવા સાથીઓને મદદ મળે તે માટે કાશીબાઈ પાસે જ પોતાના ઘરેણાં, વસ્ત્રો અને સોનામહોરોથી ભરેલો ઘડો આપી રાખ્યો છે. આ દુઃખદ યાદોને લીધે લક્ષ્મીબાઈની મહાનતા વધુ સમજાઈ અને એટલે રડવું આવી ગયું.”

કાશીબાઈ શાંતિથી આ બધાને લઈને દુર્ગા મંદિરની પાછળ આવેલા તેના ઘરે લઈ ગઈ. ત્યાં છ વર્ષના દામોદરરાવને રમાડતી કાશીબાઈની માતા ગંગાબાઈ બેઠી હતી. આ ગંગાબાઈને છેલ્લા બે મહિનાથી જ મોરોપંતે આ ગામમાં લાવીને રાખ્યા હતા અને ‘આ ગંગાબાઈને એક પાગલ વિધવા દીકરી છે’ એ વાત ગામમાં બધા જાણતા હતા. મોરોપંતે ગંગાબાઈને ‘એક સુખી અને દાનવીર ધાર્મિક સ્વભાવની વિધવા’ નું રૂપ આપ્યું હતું. એવું કહેવાતું કે તે બનારસના એક સાધુના આદેશ મુજબ પલધાડી ગામની દુર્ગા માતાની સેવા માટે આવીને રહી હતી.

ગંગાબાઈને જ્યારે મોતીબાઈ પાસેથી લમણોના પશુઓનો પ્રશ્ન સમજાયો ત્યારે તે પોતાની દીકરી કાશીબાઈને કહેવા લાગી, “છેલ્લા બે મહિનામાં શ્રીમંત મોરોપંતે મને બરાબર તૈયાર કરી છે. હું ગામમાં બધા સાથે સારા સંબંધ રાખીને રહી છું. મેં ગામમાં કહી જ રાખ્યું છે કે ‘આને વળગાડ નડે છે’. હું આજે કહીશ કે ‘વળગાડે ગાયો અને ભેંસોનું દાન લમણ ટોળીને કરવાનું કહ્યું છે, કારણ કે વળગાડ લમણ જ્ઞાતિની કોઈ સ્ત્રીનો છે.’ હું સવાર-સવારમાં ગાય-ભેંસ ભેગી કરીશ, એટલે કે ખરીદી લઈશ અને આ લમણ ટોળીને દાનમાં આપી દઈશ. પણ તેના માટે એક માંત્રિક ક્યાંથી મળશે?”

લાલાભાઉ બક્ષી તરત જ તૈયાર થઈ ગયા અને તેમણે લમણ વેશ ત્યજીને, કાળા ડગલામાં માંત્રિકનું રૂપ ધારણ કર્યું.

ભરબપોરે આ લમણ વસ્તીને પુષ્કળ પશુ-પંખીઓ મળી ગયા. કોઈ પણ ગામવાસીના મનમાં એ વાત ન આવી કે આ લમણો પાસે પહેલા પશુઓ નહોતા. કારણ કે ‘તેમના પશુઓ લઈને એક લમણ વહેલી સવારે જ જંગલમાં ગયો છે’ એવું ગંગાબાઈએ જ કહી રાખ્યું હતું.

માંત્રિક દ્વારા પશુઓનું દાન પૂરું થતા જ ગંગાબાઈની દીકરી કાશીબાઈનો વળગાડ સાવ જતો રહ્યો અને તે એક ક્ષણમાં સાજી-નરવી થઈને હરવા-ફરવા લાગી. તે સાથે જ પેલા માંત્રિકના પગે પડવા માટે ગામલોકોની ભીડ જામી. અનુભવી લાલાભાઉ બક્ષીએ પારખી લીધું કે ‘ગામ આખું તેમના વશમાં છે અને આનો ફાયદો ઉઠાવવો જ જોઈએ.’ તેમણે મોતીબાઈ અને સરદાર પહાડી સાથે બેસીને આગળના કાર્ય માટે જરૂરી બધી વસ્તુઓની યાદી (List) બનાવી અને ગામલોકોના અનેક પ્રશ્નો ઉકેલવાના બહાને લગભગ બધી જ વસ્તુઓ રાત સુધીમાં ભેગી કરી લીધી. સૌથી મહત્વની બાબત હતી શસ્ત્રો - તલવારો અને બંદૂકો. પણ તે પ્રશ્ન પણ કાશીબાઈએ ઉકેલી આપ્યો. ‘બાજુના ગામના એક લાલચુ શાહુકાર પાસે લૂંટારાઓ આવતા-જતા રહે છે અને તે જ શસ્ત્રો વેચે છે’ - એવું કહીને.

રાતના અંધારામાં રાણી લક્ષ્મીબાઈના જ ધનથી શસ્ત્રો ખરીદવામાં આવ્યા અને બીજે દિવસે સવારે આ લમણોનો કાફલો પશુઓ સાથે આગળના પ્રવાસ માટે નીકળી પડ્યો. જતી વખતે માંત્રિકે ગામના દરેક વ્યક્તિને એક-એક તાઈત મંતરીને આપ્યું અને આઠ કલાક ઘર બંધ કરીને અંદર બેસી રહેવા કહ્યું.

ગંગાબાઈ, સાજી થયેલી કાશીબાઈ અને તેનો નાનો પુત્ર - આ ત્રણેય પેલા માંત્રિક સાથે જ નીકળી ગયા. તેમનો બધો સામાન એટલે કે શસ્ત્રો, લમણોના ગધેડાઓની પીઠ પર હતા. દરેકના મનમાં બદલાની આગ સળગી રહી હતી. કાશીબાઈ અને મોતીબાઈ અત્યંત શાંત મગજથી પણ પૂરા બદલાની ભાવનાથી વિચાર કરી રહ્યા હતા.

પલધાડી ગામથી થોડે દૂર જતા જ તે લમણ ટોળીએ પોતાની દિશા બદલી. કાશીબાઈને દુલ્હેરાવનું ઠેકાણું બરાબર ખબર હતું, કારણ કે તે પોતે પણ એક જાસૂસ જ હતી. ત્રણ દિવસની મુસાફરી પૂરી કરીને આ લમણોનો કાફલો દુલ્હેરાવના વાડા સામેના ખુલ્લા મેદાનમાં આવીને તંબુ તાણવા લાગ્યો. જોકે આ વખતે આ કાફલામાં લગભગ ૫૦-૬૦ જણા હતા. રાણી લક્ષ્મીબાઈના ‘દુર્ગાદલ’ અને ‘મહાદેવશિવદલ’ ના વિખરાયેલા સ્ત્રી-પુરુષો તેમને આવી મળ્યા હતા. મુખ્ય વાત એ હતી કે સરદાર મંજુનાથ પહાડીને લમણ ભાષા બરાબર આવડતી હતી અને બાકીના બધાને પણ તેમણે શીખવીને તૈયાર કર્યા હતા.

દેખાવમાં અત્યંત સુંદર અને વીજળીની જેમ કોઈના પણ પર ત્રાટકી શકે તેવી ૨૫ વર્ષની કાશીબાઈ દુલ્હેરાવના ઘરે, ‘દૂધ ભરનારી લમણ સ્ત્રી’ તરીકે નીડરતાથી અવરજવર કરવાભ લાગી.
(કથા ચાલુ)
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>

Comments