Showing posts with label ગણેશભક્તિ. Show all posts
Showing posts with label ગણેશભક્તિ. Show all posts

Friday, August 1, 2025

શ્રીમહાગણપતિ-દેવતાવિજ્ઞાન


શ્રીમહાગણપતિ-દેવતાવિજ્ઞાન  -  સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૧૨-૨૦૦૬)
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૧૨-૨૦૦૬)

"પાર્વતીમાતા એટલે પર્વત ધારણ કરનારી પૃથ્વીનું તરલ સ્વરૂપ અર્થાત ચૈતન્યને પ્રકટ કરવા માટે આધારભૂત એવી દ્રવ્યશક્તિ (દ્રવ્ય એટલે ભૌતિક પદાર્થ). આ દ્રવ્યશક્તિની મદદ વિના ચૈતન્યના આવિષ્કાર પ્રકટ થઈ શકતા નથી, અને ચૈતન્ય વિના દ્રવ્યશક્તિને અસ્તિત્વ જ નથી, આનો જ અર્થ દ્રવ્યશક્તિ એ મુળ ચૈતન્યમાંથી જ નિર્માણ થનારી અને સ્થૂળતા તરફ પ્રવાસ કરનારી શક્તિ છે અને તેથી જ આ શક્તિનું તરલ સ્વરૂપ જગન્માતા પાર્વતી છે તો પૂર્ણ સ્થૂળ સ્વરૂપ પૃથ્વી છે. તેથી જ એવી આ પાર્વતીમાતાનો પુત્ર તરલ સ્વરુપમાં સંપૂર્ણ વિશ્વનો ઘનપ્રાણ છે, સૂક્ષ્મ સ્વરૂપમાં નાદ છે અને સ્થૂળ સ્વરૂપમાં પરમાત્મા મહાગણપતિ છે.

માઘી ગણેશોત્સવમાં બિરાજમાન શ્રીબ્રહ્મણસ્પતિ.
માઘી ગણેશોત્સવમાં બિરાજમાન શ્રીબ્રહ્મણસ્પતિ.

સમગ્ર વિશ્વ જ મુળ તો પ્રકટ થયું પ્રણવના (ૐ) નાદમાંથી જ. પ્રણવનો નાદ ગુંજવા લાગ્યો અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાંથી સગુણ સાકાર વિશ્વરૂપની ઉત્પત્તિ થવા લાગી. આ 'ઓમકાર'નો, એટલે કે મૂળ ધ્વનિનો, હાલમાં વિશ્વમાં ઉત્પન્ન થઈ રહેલા દરેક ધ્વનિ સાથે જે સંબંધ છે, તે જ શ્રીમહાગણપતિ છે. માનવે તેને મળેલી બુદ્ધિમત્તા અને વિશેષ ધ્વનિયુક્ત સંપર્કશક્તિ, એટલે કે ભાષા, એમના સહાયથી જ સર્વ ચોર્યાસી લાખ યોનિઓમાંથી પોતાનું શ્રેષ્ઠત્વ વિકસિત કર્યું. માનવના દરેક વિકાસના પ્રવાસનાં આરંભસ્થાને આ સંપર્કકુશળતા, એટલે કે ભાષાવિજ્ઞાન છે, અને આ ભાષાવિજ્ઞાનના સર્વ સ્ત્રોત આ મહાગણપતિના જ ગુણોમાંથી પ્રકટ, સિદ્ધ અને સાધ્ય થઈ શકે છે.

માનવના વિકાસશીલ પ્રવાસમાં તેની બુદ્ધિને અને મનને પોતાની આ ભાષાવિદ્યા અને ધ્વનિશાસ્ત્રનું અપાર મહત્વ જણાવા લાગ્યું અને તેમાંથી જ ઋષિઓનું અર્થગર્ભ ચિંતન શરૂ થયું. નવનવોન્મેષશાલિની પ્રજ્ઞા ધરાવનારા આ ઋષિઓએ પોતાની નિરીક્ષણ શક્તિની મદદથી કરેલા ચિંતનમાંથી તેમને ધ્વનિના સ્થૂળ, સૂક્ષ્મ અને તરલ અસ્તિત્વની જાણ થવા લાગી અને છેવટે તેઓ ઓમકાર સુધી જઈ પહોંચ્યા. ઓમકારનું 'દર્શન' થતા જ ઋષિઓને પરમેશ્વરના સત્-ચિત્-આનંદ સ્વરૂપની સમજણ થઈ અને ત્યારબાદ અધ્યાત્મશાસ્ત્ર વિકસવા લાગ્યું. આ જ આધ્યાત્મિક પ્રવાસમાં મૂળ ચૈતન્યનો અને દ્રવ્યશક્તિનો માનવ સાથેનો અનિવાર્ય સંબંધ ઉજાગર થયો. માનવને પ્રાપ્ત થયેલ શરીર, મન અને બુદ્ધિ આ ત્રણેય જીવનસ્તંભ દ્રવ્યશક્તિના ઉચિત ઉપયોગ વિના યોગ્ય વિકાસ સાધી શકશે નહીં એની ઋષિઓને ખાતરી થઈ અને તે જ સમયે મૂળ ચૈતન્યનાં અધિષ્ઠાન વિના દ્રવ્યશક્તિનો ઉચિત ઉપયોગ કરી શકાશે નહીં એની પણ ખાતરી થઈ અને તેથી જ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભૌતિક જીવન વિષયક શાસ્ત્રો અને અધ્યાત્મ વિષયક શાસ્ત્રો એકબીજાથી ક્યારેય ભિન્ન રહ્યા નથી.

આ પ્રતિભાવંત ઋષિઓને પૂરેપૂરું સમજાઈ ગયું હતું કે ભૌતિક વિદ્યાઓને અધ્યાત્મનું અધિષ્ઠાન ન હોય તો તેમનો રચનાત્મક અને સકારાત્મક ઉપયોગ કરવો શક્ય બનશે નહીં. અધ્યાત્મનું અધિષ્ઠાન ન હોય તેવી માત્ર ભૌતિક શાસ્ત્રોની પ્રગતિમાંથી અનેક વિનાશક, નુકસાનકારક અને અપવિત્ર શક્તિઓ તથા કાર્યો ઉત્પન્ન થઈ શકે છે. તે સાથે જ ઋષિઓએ એ પણ પૂરેપૂરું જ્ઞાન થયું હતું કે જો કેવળ આધ્યાત્મિક ચિંતન, મનન અને અભ્યાસ કરવાથી ભૌતિક વિદ્યાઓ નબળી અને અવિકસિત રહે તો દેહધારી માનવના

શરીર, મન અને બુદ્ધિનો યોગ્ય વિકાસ અશક્ય છે.

આ બંને તત્ત્વોનો સમતોલ એ જ માનવજીવનના વિકાસનું અને સુખનું સૂત્ર છે, આ નિર્ણય નિશ્ચિત થયો અને આ સૂત્રને જ 'ગણેશવિદ્યા' એમ સંબોધવામાં આવ્યું અને આ 'સમતોલ'ને જ શિવ-પાર્વતીનો પુત્ર એટલે કે ગણપતિ, એ નામ પ્રાપ્ત થયું.

સદ્ગુરુ શ્રી અનિરુદ્ધના ઘરે શ્રી ગણેશનું આગમન
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધના ઘરે શ્રી ગણેશનું આગમન

સગુણ સાકાર વિશ્વમાં દરેક ગુણનો સમતોલ જાળવનારી શક્તિ એટલે જ મહાગણપતિ, અને તેથી જ તે ગુણેશ પણ છે અને જુદા જુદા ગુણસમૂહોનો અધિપતિ હોવાથી ગણેશ.

અધ્યાત્મશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર એટલે કે જ્ઞાન અને વિજ્ઞાનના મૂળ સમતોલને મહાગણપતિ રૂપે જાણ્યા પછી, આ મહાગણપતિના વિવિધ સૂક્ષ્મ આવિષ્કારોની શોધ શરૂ થઈ. આ શોધની પ્રક્રિયામાં જ, પ્રાણમય દેહમાંના મૂલાધાર ચક્ર પર પ્રભુત્વ આ ગણપતિ જ ધરાવે છે, તે ધ્યાનમાં આવ્યું અને ગણપતિ ભારતીય શાસ્ત્રમાં મૂલાધાર ચક્રના સ્વામી તરીકે સ્થાપિત થયા. ભાષાવિજ્ઞાન અને સંપર્કશાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે ગણપતિના વધુ એક સૂક્ષ્મ સ્વરૂપની જાણ થવા લાગી અને તે એટલે વાક એટલે કે વાણી અને બુદ્ધિનું સંચાલકત્વ. તેથી જ શ્રીગણપતિ, સર્વ વિદ્યાઓનું આશ્રયસ્થાન અને બુદ્ધિદાતા તરીકે સમાજમાનસમાં દ્દૃઢ થતા ગયા.

અનેક વિઘ્નો, અડચણો અને સંકટોનો દૈનિક જીવનમાં ક્ષણ-પ્રતિ-ક્ષણ સામનો કરનારા માનવ મનનું 'ધૈર્ય' એટલે કે સબુરી પણ આ 'સમતોલ'નું જ સૂક્ષ્મ સ્વરૂપ છે અને આ જ સ્વરૂપ માનવને સંકટમાંથી માર્ગ કાઢવાનું શીખવે છે, આ જ્ઞાન ઋષિઓને થયું અને શ્રીમહાગણપતિનું 'વિઘ્નહર્તા' આ સ્વરૂપ જાણપણાના ક્ષેત્રમાં આવ્યું. રામદાસ સ્વામીએ એકદમ સાદા, સરળ અને સહેલા શબ્દોમાં એટલે જ તેનું વર્ણન સુખકર્તા, દુખહર્તા અને વિઘ્નોની વાત પણ ન રહેવા દેનારા તરીકે કર્યું.

 

મૂલાધાર ચક્રના સ્વામી એકદંત ગણપતિ છે, આ વિશે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ વિવેચન કરી રહ્યા છે.

શ્રીમહાગણપતિના આ લીલા-સ્વભાવની ઓળખ થયા પછી સ્વાભાવિક રીતે જ તેનો ઉપયોગ કરવા માટે અનુસંધાનરૂપ સેતુ બાંધવાની ઈચ્છા ઋષિઓની વિજીગીષુ પ્રજ્ઞામાં ઉત્પન્ન થઈ અને તેમાંથી જ આ મહાગણપતિના મંત્રો અને અથર્વશીર્ષની રચના થઈ.

'ગં' આ ધ્વનિશાસ્ત્રમાંનું બીજાક્ષર ઘન (સ્થૂળ) અને તરલ વચ્ચે સમતોલ સાધનારું છે, એ અનુભવાંતે જાણીને 'ગં' એ ગણેશબીજ મંત્રરૂપે સિદ્ધ કરાયું અને 'ગં'માંથી જ ગણપતિ એ નામ આગળ આવ્યું. તે પહેલાં આ જ સ્વરૂપને 'બ્રહ્મણસ્પતિ' આ સર્વસમાવેશક નામથી સંબોધવામાં આવતું હતું.

'બ્રહ્મણસ્પતિ'થી 'ગણપતિ' સુધીનો આ દેવતાનો પ્રવાસ નથી, પરંતુ માનવના જાણપણાનો પ્રવાસ છે, અને તેથી જ આ બંને જુદા કે એક જ છે, એ વિષે વાદ જ ઉત્પન્ન થઈ શકતો નથી. નામ અને નામાંતર એ માનવ પ્રજ્ઞાનાં વિકાસનો તે તે અવસ્થાનો સહજ પરિપાક હોય છે પરંતુ તે નામી માત્ર એક જ હોય છે અને રહે છે."

અગ્રલેખના અંતે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ લખે છે -

"મિત્રો, 'સમતોલ' અને 'સંતુલન' આ ગુણો વિના માનવનું જ શું, પરંતુ સંપૂર્ણ વિશ્વનું પણ અસ્તિત્વ ટકી શકશે નહીં. માનવીય જીવનમાં આ સંતુલન જાળવવું એટલે જ વિઘ્નનો નાશ. આ વિઘ્નનો નાશ કરવાનું

સામર્થ્ય, માનવ વિશ્વની મૂળ 'સમતોલ' શક્તિમાંથી જ મેળવી શકે છે અને તેથી જ ગણપતિ સદૈવ સર્વ શુભકાર્યોમાં અગ્રસ્થાને રહેવાના જ છે."

માઘી ગણેશોત્સવમાં અષ્ટવિનાયક સાથે બિરાજમાન શ્રીબ્રહ્મણસ્પતિને સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ પૂજન કરી રહ્યા છે.
માઘી ગણેશોત્સવમાં અષ્ટવિનાયક સાથે બિરાજમાન શ્રીબ્રહ્મણસ્પતિને સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ પૂજન કરી રહ્યા છે.


मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>>
Mangalmurti

સદગુરુ અનિરુદ્ધ બાપૂનાં દૃષ્ટિકોણ થી ગણેશભક્તિ

ભાગ ૧

Mangalmurti morya

મંગલમૂર્તિ મોરયા!

ભાગ ૨

Modak

મોદ-ક

ભાગ ૩

Vaidik Ganapati

વૈદિક ગણપતિ

ભાગ ૪

શ્રીમહાગણપતિ-દેવતાવિજ્ઞાન

ભાગ ૫

Tuesday, July 29, 2025

વૈદિક ગણપતિ

વૈદિક ગણપતિ - સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૧૨-૨૦૦૬)
સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૧૨-૨૦૦૬)

"ઋગ્વેદમાંના 'બ્રહ્મણસ્પતિ-સૂક્ત' અને અથર્વવેદમાંના 'ગણપતિ-અથર્વશીર્ષ' નામે ઓળખાતું એક ઉપનિષદ, આ બે સમર્થ સંદર્ભોથી શ્રી ગણેશનું વૈદિક અસ્તિત્વ સિદ્ધ થાય છે.

ઋગ્વેદમાંનો આ મૂળ મંત્ર નીચે મુજબ છે -

ॐ ગણાનાં ત્વાં ગણપતિં હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમમ્‌‍।

જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આ નઃ શૃણ્વન્નૂતિભિઃ સીદ સાદનમ્‌‍॥

ઋગ્વેદ ૨/૨૩/૧

ભાવાર્થ: સમુદાયના પ્રભુ તરીકે તું ગણપતિ, બધા જ્ઞાનીજનોમાં તું સર્વશ્રેષ્ઠ, બધા કીર્તિવંતોમાં તું સર્વોચ્ચ વરિષ્ઠ અને તું જ બધા સત્તાધારીઓનો પણ સત્તાધારી છે, તને અમે અત્યંત આદરપૂર્વક આમંત્રિત કરી રહ્યા છીએ, તું પોતાના બધા સામર્થ્ય સાથે આવ અને આ આસન પર (મૂલાધાર ચક્રમાં) વિરાજમાન થા. (માત્ર તારો જ અધિકાર મૂલાધાર ચક્ર ના આસન પર ચાલવા દેજે.)

શ્રી બ્રહ્મણસ્પતિ પૂજન દરમિયાન સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ.
શ્રી બ્રહ્મણસ્પતિ પૂજન સમયે સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ.

બ્રહ્મણસ્પતિ આ વૈદિક દેવતાનું જ એક નામ ગણપતિ છે, એટલે કે ગણપતિનું જ એક નામ બ્રહ્મણસ્પતિ છે. વૈદિક કાળમાં દરેક શુભકાર્યની શરૂઆત બ્રહ્મણસ્પતિના આવાહનથી જ થતી હતી અને આજે પણ તે જ મંત્રથી ગણપતિને આવાહન કરીને પવિત્ર કાર્યારંભ કરવામાં આવે છે. ઋગ્વેદમાંના બ્રહ્મણસ્પતિ જ્ઞાનદાતા અને સર્વશ્રેષ્ઠ જ્ઞાની છે, જેમ ગણપતિ પણ જ્ઞાનદાતા અને બુદ્ધિદાતા દેવ છે. બ્રહ્મણસ્પતિના હાથમાં રહેલો સુવર્ણનો પરશુ આજે પણ ગણપતિના હાથમાં છે જ. ભારતના પ્રાચીન ઇતિહાસમાં 'સમન્વય' આ પ્રધાન તત્વ હોવાથી અનેક દેવતાઓનું આધ્યાત્મિક સ્તરે એકરૂપત્વ થતું ગયું અને વેદોમાંનું  સર્વ 'બ્રહ્મ' છે આ તત્વને કારણે અને 'એકં સત્‌‍ વિપ્રા બહુધા વદન્તિ।' (તે મૂળ અસ્તિત્વ (પરમેશ્વર) એક જ છે, જ્ઞાની લોકો તેને અનેક નામોથી જાણે છે કે આવાહન કરે છે.) આ સંકલ્પનાને કારણે અનેક મૂર્તિઓ અને અનેક રૂપો હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિમાં વ્યવહારિક સ્તરે પણ વિવિધ પંથોના ઉપાસ્ય દૈવતોનું એકત્વ સિદ્ધ થવામાં કદી અડચણ આવી નહીં.

ભારતીય સંસ્કૃતિના લોકમાનસમાં પરમાત્માના વિવિધ રૂપો પાછળના એકત્વની એટલે કે કેશવત્વની જાણકારી એટલી સમર્થ અને ઊંડે સુધી ખૂંપેલી હોવાથી સામાન્ય પરંતુ સુશિક્ષિત અથવા અશિક્ષિત સમાજ માટે પણ ગણપતિ એ આર્યો નો દેવ, વૈદિકોનો દેવ, નાની નાની ટોળીઓનો દેવ કે વેદમાં અસ્તિત્વ ન ધરાવતો અને પુરાણોમાંથી ઉત્પન્ન થયેલો દેવ જેવા વાદવિવાદોને કોઈ અર્થ નથી. આ વિવાદો માત્ર કેટલાક ઇતિહાસના પ્રમાણિક અભ્યાસક અથવા કહેવાતા નાસ્તિક બુદ્ધિવાદીઓ માટે જ હોય છે. ખરા અને પ્રમાણિક ઇતિહાસ સંશોધકો તેમના કોઈપણ દેવતા વિષયક સંશોધનનો ઉપયોગ માત્ર સંસ્કૃતિના ઇતિહાસના માર્ગદર્શક સ્તંભ તરીકે જ કરે છે, જ્યારે કુત્સિત બુદ્ધિથી આવા સંશોધન કરનારા સમાજમાં ફૂટ પાડવા માટે આવા સંશોધનોનો ઉપયોગ કરી લે છે, પરંતુ કોઈપણ માર્ગે અને કોઈએ પણ દેવતા વિષયક સંશોધન કર્યું હોય કે સ્વયંના મતાનુસાર દેવતા વિષયક વિચાર રજૂ કર્યા હોય તો પણ આધ્યાત્મિક સ્તરે તે દેવતા ના અસ્તિત્વને કદી જ ખતરો પહોંચી શકતો નથી.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ બ્રહ્મણસ્પતિને દુર્વા અર્પણ કરીને અર્ચના કરતા સમયે.
સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ બ્રહ્મણસ્પતિને દૂર્વાંકુર  થી અર્ચન કરતા સમયે.

ગણપતિને ભલે કોઈનો પણ દેવ ઠેરવવામાં આવે તો પણ 'વિશ્વનો ઘનપ્રાણ' આ ગણપતિનું મૂળ સ્વરૂપ કંઈ બદલાતું નથી અથવા એનું અસ્તિત્વ ન રહે, એવું તો ક્યારેય નહિં બને કારણ ગણપતિ કંઈ કોઈ સંશોધકોના સંશોધનમાંથી સિદ્ધ અને પ્રસિદ્ધ થયો નથી; તો ગણપતિ આ દેવતા પોતાના મૂળ રૂપમાં ભક્તિ અને જ્ઞાનનો સમન્વય સાધનારા ઋષિઓના ચિંતન દ્વારા પ્રકટ થયા, ભક્તોના હૃદયમાં પ્રેમથી સિદ્ધ થયાં અને ઉપાસ્ય અને ઉપાસક એમના પરસ્પર પ્રેમને કારણે પ્રસિદ્ધ થયાં. તેથી જ ઋગ્વેદમાંનો બ્રહ્મણસ્પતિ કોઈ જુદો જ હતો અને તેને ફક્ત ગણપતિ તરીકે સંબોધવામાં આવ્યો હતો, આ તર્ક સાથે ભક્તહૃદયને કોઈ સંબંધ નથી. શિવનો અને પાર્વતીનો પુત્ર એવો આ ગણપતિ, એટલા માટે જ બધા ઉપાસકોના અને પંથોના શુભકાર્યમાં પ્રથમ માનનો ધણી થાય છે. શૈવ, દેવી-ઉપાસક, વૈષ્ણવ, સૂર્યોપાસક આવા વિવિધ સંપ્રદાયોમાં પણ ગણપતિ એક સુંદર સેતુ નિર્માણ કરે છે.

અથર્વવેદમાંના શ્રી ગણપતિ-અથર્વશીર્ષ તો એકદમ સુસ્પષ્ટ શબ્દોમાં આજે પણ પ્રચલિત અને સર્વમાન્ય રહેલા ગણપતિના રૂપનું, આયુધોનું અને સ્વભાવવિશેષનું વર્ણન કરે છે. આ અથર્વશીર્ષમાં પણ આ ગણપતિને સ્પષ્ટ રીતે 'તું રુદ્ર,, વિષ્ણુ, અગ્નિ, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય, વરુણ સર્વકાંઈ છે' એવું સ્પષ્ટરીતે ઉચ્ચારવામાં આવ્યું છે. પછી આ બધા રૂપોના ઐતિહાસિક સંદર્ભ ગણપતિના ઐતિહાસિક સંદર્ભો સાથે સરખાવવાનો શું ઉપયોગ થશે? આવા સંશોધનો એટલે જેમનો સમય પસાર થતો નથી, તેમની નિરર્થક અને પોકળ બડબડ હોય છે અને તેમનો સંસ્કૃતિના સંવર્ધન માટે તસુભર પણ ઉપયોગ થતો નથી.

બ્રહ્મણસ્પતિની મૂર્તિ પર અભિષેક કરવામાં આવી રહ્યો છે.
બ્રહ્મણસ્પતિની મૂર્તિ પર અભિષેક

જેમની જ્ઞાનમાર્ગમાં શ્રેષ્ઠતા અવિવાદિત છે, તે સંતશ્રેષ્ઠ શ્રી જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરીના આરંભમાં જ -

ॐ નમો જી આદ્યા। વેદ પ્રતિપાદ્યા।

જય જય સ્વસંવેદ્યા। આત્મરૂપા॥

દેવા તૂચિ ગણેશુ। સકલાર્થમતિપ્રકાશુ।

મ્હણે નિવૃત્તિદાસુ। અવધારિજો જી॥

એવું સ્પષ્ટરીતે શ્રી મહાગણપતિ માટે લખી રાખ્યું છે. જો ગણપતિ અને બ્રહ્મણસ્પતિ એક જ ન હોય અને વેદમાં ગણપતિનું પ્રતિપાદન નથી એમ માનવામાં આવે તો શ્રી જ્ઞાનેશ્વર મહારાજનું આ વચન તેના વિરુદ્ધ ભારપૂર્વક ઊભું રહે છે. ઇતિહાસનો અભ્યાસ અને સંશોધન કોઈ કેટલા પણ સાધનો દ્વારા કરે તો પણ કાળના પ્રચંડ બળવાન પ્રવાહમાં ઉપલબ્ધ સાધનોના અને સંદર્ભોના હજારો ગણી વસ્તુઓ નાશ પામેલી હોય છે, તેથી વિશેષત: સાંસ્કૃતિક ઇતિહાસનું સંશોધન કરતા કોઈ પણ પોતાનો જ મત એકમાત્ર સત્ય છે એવું રજૂ કરી શકતું નથી. જીવંત સંસ્કૃતિનું એક પ્રમુખ લક્ષણ એટલે તેની પ્રવાહિતતા એટલે કે સંસ્કૃતિનો પ્રવાસ એટલે અક્ષરશ: લાખો કારણોને કારણે થયેલા ફેરફારો. આ ફેરફારોમાંથી સંપૂર્ણપણે અને નિશ્ચળપણે જે બચે છે, તે ફક્ત પૂર્ણ સત્ય જ અને સત્ય એટલે કેવળ સાચી વાસ્તવિકતા નથી, પણ સત્ય એટલે પવિત્રતા ઉત્પન્ન કરનારી વાસ્તવિકતા અને આવી પવિત્ર વાસ્તવિકતામાંથી જ આનંદ ઉત્પન્ન થતો હોય છે અને એટલા માટે ભક્તહૃદયનો સંબંધ આવા 'સત્ય' સાથે હોય છે, ફક્ત કાગળના અને પુરાવાના ટુકડાઓ પર નહીં.

બાપુના માર્ગદર્શન મુજબ દર વર્ષે ઉજવાતા શ્રી માઘી ગણેશોત્સવમાં સમૂહ શ્રીગણપતિ અથર્વશીર્ષ પાઠન.
બાપુના માર્ગદર્શન મુજબ દર વર્ષે ઉજવાતા શ્રી માઘી ગણેશોત્સવમાં  સામુહિક શ્રીગણપતિ અથર્વશીર્ષ પાઠ .

બ્રહ્મણસ્પતિ-સૂક્ત અને અથર્વશીર્ષ ગણપતિનું વૈદિક સ્વરૂપ સિદ્ધ કરે છે કે નહીં, એની સાથે મારો તસુભર પણ સંબંધ નથી કારણ કે હજારો વર્ષોથી માનવીય સમાજના ભક્તમાનસમાં દૃઢ થયેલું અને અધિષ્ઠિત થયેલું પ્રત્યેક રૂપ તે ॐકારનું જ એટલે કે પ્રણવનું જ એટલે કે કેશવનું જ સ્વરૂપ છે એ વિશે મને ક્યારેય શંકા થઈ નથી, થતી નથી અને થશે પણ નહીં કારણ કે કેશવ એટલે શવના અર્થાત આકૃતિના પરે રહેલો ચૈતન્યનો મૂળ સ્ત્રોત. તેના અસ્તિત્વને આખું જગત નકારે તે છતાં તે મટી શકતું જ નથી."

અગ્રલેખના અંતે સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ લખે છે -

"મિત્રો, એટલા જ માટે મોટી મોટી વ્યર્થ ચર્ચા કરતા બેસી રહેવા કરતાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી પરમાત્માની ઉપાસના કરો, કાર્ય સિદ્ધિએ લઈ જવા શ્રી સમર્થ છે જ."


 

मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>>

Mangalmurti

સદગુરુ અનિરુદ્ધ બાપૂનાં દૃષ્ટિકોણ થી ગણેશભક્તિ

ભાગ ૧

Mangalmurti morya

મંગલમૂર્તિ મોરયા!

ભાગ ૨

Modak

મોદ-ક

ભાગ ૩

Vaidik Ganapati

વૈદિક ગણપતિ

ભાગ ૪

શ્રીમહાગણપતિ-દેવતાવિજ્ઞાન

ભાગ ૫

Friday, July 25, 2025

મોદક

 

સદ્‍ગુરુ અનિરુદ્ધ બાપુના  દૃષ્ટિકોણ થી ગણેશ ભક્તિ - ભાગ - 3 - મોદ-ક  ,
સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક 'પ્રત્યક્ષ' માંનો અગ્રલેખ (૦૬-૦૯-૨૦૦૬)

શ્રી ગણપતિનું સ્મરણ થતાની સાથે જ દરેક ભક્તને કે નાસ્તિકને પણ તરત જ સ્મરણ થાય છે, તે મોદકનું. આજકાલ માવાના મોદક મળે છે, પરંતુ આવા આ માવાના મોદક એટલે દૂધની તરસ છાશથી છીપાવવા જેવું. બાળપણથી આજ સુધી મેં અત્યંત રુચીથી ખાધેલો પદાર્થ એટલે પરંપરાગત મોદક, જેમાં ચોખાનો લોટ ઘીમાં મસળીને બનાવવામાં આવે છે અને અંદરનું પૂરણ તાજા અને સ્વાદિષ્ટ નારિયેળના છીણમાંથી ઘરના ઘીમાં બનાવેલું હોય છે. ઉપરથી મોદક ખાતી વખતે તેને તોડીને તેમાં બીજો એક ચમચો શુદ્ધ ઘી નાખવાનું. બધા બાલગોપાલોને આ ઘી થી 'તરબતર' મોદક અતિશય પ્રિય. આ પરંપરાગત મોદક એટલે આહારમાં સૌમ્ય, સ્નિગ્ધ અને ગુરુ ગુણોનો પરમોત્કર્ષ અને તેથી જ મૂલાધાર ચક્રનું નિયંત્રણ કરનારા, એટલે કે અત્યંત ઉષ્ણ, અર્ધસ્નિગ્ધ અને લઘુ સ્થાનનું નિયંત્રણ કરનારા શ્રી મહાગણપતિ માટે સર્વશ્રેષ્ઠ નૈવેદ્ય. આજકાલ પરિસ્થિતિને કારણે દરેક જણને આવા મોદક બનાવવા શક્ય નથી. પરંતુ જેમને શક્ય હોય તેમણે આવા પરંપરાગત મોદક બનાવીને તેનો નૈવેદ્ય શ્રી મહાગણપતિને અત્યંત પ્રેમથી અર્પણ કરવો. દુર્વા અને શમીપત્રોનો બાહ્યોપચાર અને પરંપરાગત મોદકોનો નૈવેદ્ય ખરેખર ઉગ્ર, રૂક્ષ અને લઘુ ગુણોનો નાશ કરીને સૌમ્યતા, સ્નિગ્ધતા અને ગુરુત્વ (સ્થિરતા) સ્થાપિત કરનારો હોવાથી, તે મંગલમૂર્તિ વરદવિનાયક વિઘ્નોનો નાશ કરવા માટે દરેકના પ્રાણમય દેહમાં અને મનોમય દેહમાં અવતરે જ છે. 
 
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં ઘરે ગણપતિનું આગમન.

સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં ઘરે ગણપતિનું આગમન.

 
મોદક કહેતા જ મને એક અત્યંત જૂની કથા યાદ આવે છે. એક સમ્રાટ હતો. તે પોતે અત્યંત વિલાસી વૃત્તિનો હતો અને તેણે કોઈપણ પ્રકારનું અધ્યયન કર્યું નહોતું. તેથી તેના પિતાએ તેને ગાદી પર બેસાડતી વખતે તે વિદ્યાહીન રાજકુમારના લગ્ન એક અત્યંત વિદ્વાન અને સુજાણ રાજકન્યા સાથે કરાવી દીધા હતા. આવો આ અજ્ઞાની રાજા અને તેની વિદ્વાન, પતિવ્રતા રાણી સંપૂર્ણ રાજપરિવાર સહિત સરોવરમાં જળક્રીડા માટે ગયા હતા. ત્યાં સરોવરમાં જળક્રીડા કરતા રાજા, રાણીના શરીર પર હાથથી પાણી ઉડાડવા લાગ્યો. સંસ્કૃત ભાષા જ વિવાહ સુધી અધ્યયન ભાષા અને બોલી ભાષા ધરાવતી તે રાણી તરત જ બોલી, “મોદકૈઃ સિંચ”. તે જ ક્ષણે રાજાએ સેવકને નજીક બોલાવી તેના કાનમાં કંઈક કહ્યું. થોડી જ વારમાં સેવક મોદકથી ભરેલા પાંચ-છ પાત્રો ત્યાં લાવ્યો અને રાજા એક પછી એક મોદક નિશાન લગાવીને રાણી પર મારવા લાગ્યો. 
 
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં નિવાસસ્થાને દર વર્ષે ઉજવાતા ગણેશોત્સવમાં, ગણપતિ બાપ્પાને ખૂબ જ પ્રેમથી મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે.

સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં નિવાસસ્થાને દર વર્ષે ઉજવાતા ગણેશોત્સવમાં, ગણપતિ બાપ્પાને ખૂબ જ પ્રેમથી મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે.

આ બધા વિચિત્ર પ્રકારથી પ્રથમ સંપૂર્ણ ગૂંચવણમાં પડેલી રાણી થોડી જ વારમાં સ્વસ્થ થઈ અને અન્ય રાજસ્ત્રીઓ અને અમાત્યો વગેરે રાજપરિવારના સભ્યોના ચહેરા પરના કુત્સિત હાસ્ય જોઈને અત્યંત લજ્જિત અને દુખી થઈ; કારણ કે રાણીને કહેવું હતું, “મા ઉદકૈઃ સિંચ” એટલે કે મને પાણીથી ભીંજવશો નહીં. પરંતુ ફક્ત સંસ્કૃત બોલી ભાષા જ જાણનાર તે અજ્ઞાની રાજાને સંસ્કૃતના વ્યાકરણના નિયમો ખબર ન હોવાથી 'મોદકૈઃ' નો સંધિ-વિચ્છેદ કર્યા વિના જ ખોટો અર્થ લીધો. આગળ કથા ખૂબ જ અલગ વળાંક લે છે પણ મને તો રાણીના શરીર પર મોદકોનો વરસાદ કરનારો તે મૂર્ખ રાજા જ આજકાલ અનેક રૂપોમાં ઠેર ઠેર ફરતો જોવા મળે છે. ગણપતિને મોદક ગમે છે અને દૂર્વા ગમે છે તેથી આદરપૂર્વક ગણપતિને આ વસ્તુઓ અર્પણ કરવી તે વિહિત જ છે, તેમજ તે પરમાત્માના રૂપો પણ અનેક; તેથી વિવિધ સ્વરૂપોમાં મૂર્તિઓ બનાવવી, તે પણ અત્યંત ઉચિત જ છે, પરંતુ આવા આ ગણપતિને દૂધ પીવડાવવા માટે ઠેર ઠેર કતારો લગાવવી એટલે પેલા રાજા્ની પુનરાવૃત્તિ જ છે. 
 
મને એક સમજાતું નથી કે ખરેખર ગણપતિને મોદક અત્યંત પ્રિય હોવા છતાં, તે ઠેર ઠેર દૂધ જ કેમ પીવે છે? મોદક કેમ નથી ખાતા? અને મુખ્ય એટલે આ પ્રશ્ન પણ આપણામાંથી કોઈને પડતો નથી. તે મંગલમૂર્તિ પરમાત્મા ભક્તોએ અત્યંત પ્રેમથી અર્પણ કરેલા સાદા રોટલીના વાસી ટુકડા પણ અત્યંત પ્રેમથી ગ્રહણ કરતા જ હોય છે, આમાં મને જરા પણ શંકા નથી. પછી ભલે મૂર્તિ સામેના નૈવેદ્યની થાળીમાંથી એક કણ પણ ઓછો થયેલો ન દેખાય તો પણ વાંધો નથી. ગીતામાં તો સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણએ જ સ્પષ્ટ રીતે પોતાના મુખેથી જ આ બાંયધરી બધા ભક્તોને આપી રાખી છે. મુખ્ય એટલે પરમાત્માને આવી વસ્તુઓ કરીને પોતાનું માહાત્મ્ય વધારવાની જરા પણ આવશ્યકતા લાગતી નથી, તેમજ જનમાનસમાં ભક્તિ વધારવા માટે પણ પરમાત્માને આવી ઉપાય યોજનાઓની જરા પણ જરૂર નથી. ભક્ત અને અભક્ત એવા દરેકના સમગ્ર અસ્તિત્વની સંપૂર્ણ જાણ ધરાવનારા અને દરેકના કર્મનું ફળ ફક્ત જેના હાથમાં છે, તે સાચા પરમાત્માને આવી વિચિત્ર વસ્તુઓની ક્યારેય આવશ્યકતા લાગતી નથી.' 

અગ્રલેખનો સમાપન કરતા સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ લખે છે -  

'મિત્રો, તે પરમાત્માને જોઈએ છે તમારી અચળ શ્રધ્ધા, ભક્તિ અને કૃતજ્ઞતાની ભાવનાથી કરેલી ભગવાનની અને ભગવાનના અસહાય બાળકોની સેવા. આ જ ખરો નૈવેદ્ય, ખરું તો આ જ સર્વશ્રેષ્ઠ નૈવેદ્ય આ પરમાત્મા આખેઆખો ગ્રહણ કરે છે અને તેનું સહસ્ત્રગુણું ફળ પ્રસાદ તરીકે ભક્તને આપે છે. મોદક નૈવેદ્ય તરીકે જરૂર અર્પણ કરો અને ભાવથી પોતે પણ ખાઓ, પરંતુ મોદ એટલે આનંદ એ ભૂલશો નહીં. પરમાત્માને અને બીજાને આનંદ થાય તેવું વર્તન કરવું, એ જ સર્વશ્રેષ્ઠ મોદક છે.' 
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>>
Mangalmurti

સદગુરુ અનિરુદ્ધ બાપૂનાં દૃષ્ટિકોણ થી ગણેશભક્તિ

ભાગ ૧

Mangalmurti morya

મંગલમૂર્તિ મોરયા!

ભાગ ૨

Modak

મોદ-ક

ભાગ ૩

Vaidik Ganapati

વૈદિક ગણપતિ

ભાગ ૪

શ્રીમહાગણપતિ-દેવતાવિજ્ઞાન

શ્રીમહાગણપતિ-દેવતાવિજ્ઞાન

ભાગ ૫

Tuesday, July 22, 2025

મંગલમૂર્તિ મોરયા! - સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૦૯-૨૦૦૭)

 
મંગલમૂર્તિ મોરયા! - સદ્ગુરુ શ્રી અનિરુધ્ધબાપૂનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૦૯-૨૦૦૭)
મંગલમૂર્તિ મોરયા! - સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૦૯-૨૦૦૭)

નપણથી અમારા ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે શુધ્ધ વૈદિક સંસ્કારોનું હતું, પરંતુ તેમ છતાં જરાયે આભડછેટ, જાત-પાત, કર્મઠ કર્મકાંડનો લેશ પણ નહોતો. માઈ અને નાનીનું સંસ્કૃત સાહિત્યના અભ્યાસ પર પ્રભુત્વ અને સર્વ સંહિતાઓ મુખાગ્ર હોવાને કારણે વેદમંત્રોના શુધ્ધ અને  લયબદ્ધ ઉચ્ચારો હંમેશા કાને પડતા રહેતા. આજે પણ તે બંનેના અવાજમાં વૈદિક મંત્રો અને સૂક્તોના મધુર સ્વર અંતઃકરણમાં ઉમટતા રહે છે. ગણપતિની આરતી પછી ગવાતી મંત્રપુષ્પાંજલિ, જે આજના સમયના ‘શોર્ટકટ’ની જેમ ‘ॐ યજ્ઞેન યજ્ઞમયજન્ત….થી શરૂ ના થતાં ‘ॐ ગણાનામ્ ત્વા ગણપતિમ્ હવામહે....’ થી શરૂ થતી અને લગભગ અડધો થી પોણો કલાક ચાલતી. તેમાં આરોહ, અવરોહ, આઘાત, ઉદ્ધાર વગેરે સર્વ નિયમોનું પાલન કરીને પણ તે મંત્રપુષ્પાંજલિમાં માધુર્ય, કોમળતા અને સરળતા તેવી જ જીવંત રહેતી કારણ કે તે મંત્રોચ્ચારમાં શ્રેષ્ઠતાનાં પ્રદર્શન ની લાલસા નહોતી પરંતુ પૂર્ણ ભક્તિરસથી ભરેલું પ્રફુલ્લિત અંતઃકરણ હતું. 


આગળ ત્યારબાદ, મારી ઉંમરનાં પાંચમાં વર્ષે મારા મોસાળના ઘેર એટલે કે પંડિત કુટુંબના ઘરનાં ગણપતિ સામે તે બંનેએ મને મંત્રપુષ્પાંજલિની શાસ્ત્રીય પદ્ધતિ પહેલીવાર શીખવી. તે સમયે મારી માતાની ત્રણેય કાકીઓ, માઈ અને નાની, એમ પાંચ જણીઓએ મારી આરતી ઉતારીને મને ઘણા મોદક ખવડાવ્યા. તે સમય સુધી મારા મોસાળમાં હું એકમાત્ર પૌત્ર હતો અને તેથી જ સંપૂર્ણ પાધ્યે અને પંડિત કુટુંબોને અતિશય લાડકો હતો. તે જ દિવસે માઈએ પાધ્યે કુટુંબની પરંપરા અનુસાર બાલગણેશની પ્રતિષ્ઠાપના કરવાની પધ્ધતિ પણ મને સમજાવી અને તેથી જ આજે પણ અમારા ઘરમાં ગણેશચતુર્થીએ પ્રતિષ્ઠાપના થતી મૂર્તિ બાલગણેશની જ હોય છે.


મેં એકવાર માઈને પૂછ્યું કે “દર વર્ષે બાલગણેશ જ કેમ?” માઈએ મારા ગાલ પર હાથ ફેરવીને જવાબ આપ્યો, “અરે બાપુરાયા, બાળક ઘરે આવ્યું અને તેના આપણે લાડકોડ કરીએ ઍટલે પછી તેના કારણે તે બાળકની પાછળ તેના માતા અને પિતા આવે જ છે અને તેઓ હરખ પામે છે. આ બાલગણેશના ભક્તો દ્વારા કરાયેલા લાડકોડ અને ગુણગાન ને કારણે પાર્વતીમાતા અને પરમશિવનું પણ આપમેળેજ સ્વાગત અને પૂજન થતું હોય છે અને બીજું એટલે અજાણ્યા સામાન્ય માનવના સોહામણા નાના બાળક સાથે વર્તતા પણ આપણા મનમાં આપમેળે જ એક નિષ્કામ પ્રેમ પ્રગટ થતો હોય છે. તો પછી આ અત્યંત દેખાવડા મંગલમૂર્તિના બાલરૂપના સહવાસમાં ભક્તોના મનમાં જે ભક્તિપ્રેમ હશે તે તેવું જ નિષ્કામ અને પવિત્ર હશે નહીં કે?”


માઈની આ ભાવનાઓ એટલે એક અત્યંત શુધ્ધ અને પવિત્ર ભક્તિમય અંતઃકરણની રસદાર સહજવૃત્તિઓ હતી. અમે સર્વે પણ અક્ષરશઃ કરોડો લોકો ગણપતિ ઘરે બેસાડતા હોઈએ છીએ, ક્યાંક દોઢ દિવસ તો ક્યાંક દસ દિવસ. ભલેને વિવિધ પ્રકારની ગણેશમૂર્તિઓ હોય, પરંતુ આ વિઘ્નહર્તા ગણેશ સાથે અમે અમારા આત્મિયતાભર્યા, ભાવભર્યા અને પરિવાર જેવા  સંબંધ બનાવીએ છીએ ખરા?


ઘરે આવેલા ગણપતિને ફક્ત ઘરની પરંપરા ન તૂટે, તૂટે તો વિઘ્નો આવશે, આ ભાવનાથી જ અમુક જગ્યાએ લાવવામાં આવે છે. અમુક જગ્યાએ માનતા પૂરી કરવા માટે લાવવામાં આવે છે તો અમુક જગ્યાએ ફક્ત ઉત્સવ અને મોજમજા માટે લાવવામાં આવે છે. આવી ગણપતિસ્થાપનામાં મંત્ર હોય છે, મંત્રપુષ્પાંજલિ હોય છે, આરતી હોય છે, મહાનૈવેદ્ય હોય છે અને રીતરિવાજ અને શાસ્ત્રનું પૂરેપૂરૂં પાલન કરવાના ભય હેઠળનાં પ્રયાસ પણ હોય. પરંતુ આ બધી ધમાલ માં ખોવાઈ જાય છે, તે આ આરાધનાનો મૂળ ગર્ભ અર્થાત પ્રેમળ ભક્તિભાવ.

મંગલમૂર્તિ મોરયા અને સુખકર્તા દુખહર્તા, આ શ્રીગણપતિના બિરુદો ની દરેકને ખબર હોય જ છે. બલ્કે આ ‘સુખકર્તા દુખહર્તા’ બિરુદાવલીને કારણે જ તો અમે ગણપતિને ઘરે લાવવા તૈયાર હોઈએ છીએ, પણ ‘મંગલમૂર્તિ’ આ બિરુદનું શું? તે સિદ્ધિવિનાયક સર્વ કંઈ મંગલ કરવાનો જ છે પણ તેને ઘરે લાવ્યા પછી અમે તેને કેટલા  મંગલ વાતાવરણમાં રાખીએ છીએ? આ જ મહત્વનો પ્રશ્ન છે.


ફક્ત દુર્વાઓના મોટામોટા હાર ચઢાવીને, એકવીસ મોદક સવાર-સાંજ તેની સામે રાખીને, લાલ ફૂલો ચઢાવીને અને આરતીઓમાં મંજીરા કુટીને અમે અમારા તરફથી અને અમારી ક્ષમતા અનુસાર માંગલ્ય નિર્માણ કરતા હોઈએ છીએ ખરા? ઉત્તર મોટાભાગે ‘ના’ એમ જ મળશે.


તો પછી તે મંગલમૂર્તિને અમારી પાસેથી અપેક્ષિત ‘માંગલ્ય’ અમે  કેવી રીતે અર્પણ કરી શકીશું? ઉત્તર એકદમ સાદો અને સરળ છે. તે મૂર્તિનું સ્વાગત કરતી વખતે જાણે એક વર્ષ પછી પોતાનો જીગરજાન સ્વજન ઘરે પાછો આવી રહ્યો છે, આ ભાવના રાખો; એકવીસ મોદકો સહિત નૈવેદ્યથી ભરેલી થાળી તેની સામે રાખીને તેને લાડપૂર્વક આગ્રહ કરો, આવેલા મહેમાનોના આતિથ્ય સત્કારના દબદબા કરતાં તે ગણેશની આરાધના તરફ વધુ ધ્યાન આપો, આરતી ગાતી વખતે કોઈની સાથે સ્પર્ધા ન કરો અને મુખ્ય એટલે આ મહાવિનાયક પાછો તેના સ્થાને જવા નીકળે, ત્યારે અંતઃકરણ ગદગદિત થઈ ભરાઈ આવવા દો અને હકની પ્રેમળ વિનવણી થવા દો, ‘મંગલમૂર્તિ મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા.’(આવતાં વરસે વહેલા આવજો)  

અગ્રલેખના અંતે સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ લખે છે -
‘મારા શ્રધ્ધાવાન મિત્રો, ‘પુઢચ્યા વર્ષી લવકર યા’, આ વાક્યનો અર્થ બરાબર સમજી લો. આવવાની તિથિ તો નક્કી થયેલી જ હોય છે, તો પછી ફક્ત મોંઢેથી ‘જલદી આવો’ કહેવા પાછળ શું અર્થ હોઈ શકે? આમાં એક જ અર્થ છે અને તે એટલે, આવતા વર્ષની રાહ ન જુઓ, હે મોરયા, હે મારા દેવ, તમે રોજ જ આવતા રહો અને તે પણ બને એટલું જલદીમાં જલદી’

मराठी >> हिंदी >> ಕನ್ನಡ>> বাংলা>> English>>
Mangalmurti

સદગુરુ અનિરુદ્ધ બાપૂનાં દૃષ્ટિકોણ થી ગણેશભક્તિ

ભાગ ૧

Mangalmurti morya

મંગલમૂર્તિ મોરયા!

ભાગ ૨

Modak

મોદ-ક

ભાગ ૩

Vaidik Ganapati

વૈદિક ગણપતિ

ભાગ ૪

શ્રીમહાગણપતિ-દેવતાવિજ્ઞાન

શ્રીમહાગણપતિ-દેવતાવિજ્ઞાન

ભાગ ૫

Friday, July 18, 2025

સદગુરુ અનિરુદ્ધ બાપૂનાં દૃષ્ટિકોણ થી ગણેશભક્તિ

 
આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ, ત્યારે તે નિર્વિઘ્ને પાર પડે તે માટે આપણે આપણા વિઘ્નહર્તા શ્રીગણેશનું સ્મરણ કરીએ છીએ, પૂજન કરીએ છીએ અને તેમની પ્રાર્થના કરીએ છીએ. આપણામાં અક્ષરો લખતા શીખતી વખતે પણ, આપણે સૌથી પહેલા 'શ્રીગણેશાય નમઃ' એમ જ લખવાનું શીખીએ છીએ. ભલે ગમે તેટલા અલગ અલગ દેવોના મંદિરો હોય, પરંતુ શ્રીગણેશ દરેક મંદિરના ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર બિરાજમાન હોય જ છે. 'મંગલમૂર્તિ શ્રીગણપતિ' ખરેખર બધા શુભ કાર્યોના અગ્રસ્થાને રહેલા, આપણા ભારતભરમાં નાનાથી માંડીને મોટા સુધી બધાને જ પ્રિય એવા દેવતા છે.

આવા ગણપતિ વિશે, દૈનિક 'પ્રત્યક્ષ'ના કાર્યકારી સંપાદક ડો. શ્રી અનિરુદ્ધ ધૈર્યધર જોષી (સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ)એ તેમના અભ્યાસ અને ચિંતનમાંથી આવેલા વિચારો વિવિધ અગ્રલેખો દ્વારા રજૂ કર્યા છે. આ અગ્રલેખો ફક્ત માહિતી પૂરતા મર્યાદિત નથી, પરંતુ શ્રધ્ધાવાનોનાં મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના ઉત્તર આપનારા, ભક્તિને વધુ અર્થપૂર્ણ બનાવનારા અને ગણપતિના વિવિધ રૂપોની ઊંડાણપૂર્વક ઓળખ કરાવનારા છે.

આ અગ્રલેખોમાં બાપુએ વેદ, પુરાણો, સંતવાઙ્મયમાંથી ગણપતિનું સ્વરૂપ અને તેની પાછળનું તત્વજ્ઞાન અત્યંત સહજ, સરળ ભાષામાં સ્પષ્ટ કર્યું છે. બ્રહ્મણસ્પતિ-ગણપતિ સંકલ્પના, વિશ્વનો ઘનપ્રાણ ગણપતિ, ગણપતિની જન્મકથા પાછળનો સિદ્ધાંત, સાર્વજનિક ગણેશોત્સવ પાછળની ભૂમિકા, મૂલાધારચક્રના અધિષ્ઠાતા ગણપતિ, ગણપતિના મુખ્ય નામો, તેમનું વાહન મૂષકરાજ, વ્રતબંધ કથા, મોદક કથા અને તે કથાઓનો ભાવાર્થ... આ બધી બાબતો બાપુએ એવી રીતે રજૂ કરી છે કે જાણે તેઓ આપણા મનના પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા હોય.

ગણપતિ આ દેવતા સંબંધિત આ વિવેચન શ્રધ્ધાવાન ભક્તો માટે માત્ર માહિતી નથી, પરંતુ ભાવનાત્મક દૃષ્ટિકોણથી પોતાની ભક્તિ અને શ્રદ્ધાને વધુ દૃઢ કરનારું છે.

દૈનિક 'પ્રત્યક્ષ' માંથી અલગ અલગ સમયે પ્રકાશિત થયેલા આ અગ્રલેખો હવે બ્લોગપોસ્ટના રૂપમાં આપ સૌ માટે ઉપલબ્ધ થઈ રહ્યા છે — બાપુએ આપેલા તે અમૂલ્ય વિચારોની સુગંધ આપણા મનોમાં ફેલાય તે એકમાત્ર ઉદ્દેશ્યથી. 

AD (728x60)