Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love
Showing posts with label ગણેશભક્તિ. Show all posts
Showing posts with label ગણેશભક્તિ. Show all posts

Friday, July 25, 2025

મોદ-ક

સદ્‍ગુરુ અનિરુઘ્ઘ બાપુના  દૃષ્ટિકોણ થી ગણેશ ભક્તિ - ભાગ - 3 - મોદ-ક  ,
સદ્‍ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુનો દૈનિક 'પ્રત્યક્ષ' માંનો અગ્રલેખ (૦૬-૦૯-૨૦૦૬)

શ્રી ગણપતિનું સ્મરણ થતાની સાથે જ દરેક ભક્તને કે નાસ્તિકને પણ તરત જ સ્મરણ થાય છે, તે મોદકનું. આજકાલ માવાના મોદક મળે છે, પરંતુ આવા આ માવાના મોદક એટલે દૂધની તરસ છાશથી છીપાવવા જેવું. બાળપણથી આજ સુધી મેં અત્યંત રુચીથી ખાધેલો પદાર્થ એટલે પરંપરાગત મોદક, જેમાં ચોખાનો લોટ ઘીમાં મસળીને બનાવવામાં આવે છે અને અંદરનું પૂરણ તાજા અને સ્વાદિષ્ટ નારિયેળના છીણમાંથી ઘરના ઘીમાં બનાવેલું હોય છે. ઉપરથી મોદક ખાતી વખતે તેને તોડીને તેમાં બીજો એક ચમચો શુદ્ધ ઘી નાખવાનું. બધા બાલગોપાલોને આ ઘી થી 'તરબતર' મોદક અતિશય પ્રિય. આ પરંપરાગત મોદક એટલે આહારમાં સૌમ્ય, સ્નિગ્ધ અને ગુરુ ગુણોનો પરમોત્કર્ષ અને તેથી જ મૂલાધાર ચક્રનું નિયંત્રણ કરનારા, એટલે કે અત્યંત ઉષ્ણ, અર્ધસ્નિગ્ધ અને લઘુ સ્થાનનું નિયંત્રણ કરનારા શ્રી મહાગણપતિ માટે સર્વશ્રેષ્ઠ નૈવેદ્ય. આજકાલ પરિસ્થિતિને કારણે દરેક જણને આવા મોદક બનાવવા શક્ય નથી. પરંતુ જેમને શક્ય હોય તેમણે આવા પરંપરાગત મોદક બનાવીને તેનો નૈવેદ્ય શ્રી મહાગણપતિને અત્યંત પ્રેમથી અર્પણ કરવો. દુર્વા અને શમીપત્રોનો બાહ્યોપચાર અને પરંપરાગત મોદકોનો નૈવેદ્ય ખરેખર ઉગ્ર, રૂક્ષ અને લઘુ ગુણોનો નાશ કરીને સૌમ્યતા, સ્નિગ્ધતા અને ગુરુત્વ (સ્થિરતા) સ્થાપિત કરનારો હોવાથી, તે મંગલમૂર્તિ વરદવિનાયક વિઘ્નોનો નાશ કરવા માટે દરેકના પ્રાણમય દેહમાં અને મનોમય દેહમાં અવતરે જ છે. 
 
સદ્ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુનાં ઘરે ગણપતિનું આગમન.

સદ્‍ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુનાં ઘરે ગણપતિનું આગમન.

 
મોદક કહેતા જ મને એક અત્યંત જૂની કથા યાદ આવે છે. એક સમ્રાટ હતો. તે પોતે અત્યંત વિલાસી વૃત્તિનો હતો અને તેણે કોઈપણ પ્રકારનું અધ્યયન કર્યું નહોતું. તેથી તેના પિતાએ તેને ગાદી પર બેસાડતી વખતે તે વિદ્યાહીન રાજકુમારના લગ્ન એક અત્યંત વિદ્વાન અને સુજાણ રાજકન્યા સાથે કરાવી દીધા હતા. આવો આ અજ્ઞાની રાજા અને તેની વિદ્વાન, પતિવ્રતા રાણી સંપૂર્ણ રાજપરિવાર સહિત સરોવરમાં જળક્રીડા માટે ગયા હતા. ત્યાં સરોવરમાં જળક્રીડા કરતા રાજા, રાણીના શરીર પર હાથથી પાણી ઉડાડવા લાગ્યો. સંસ્કૃત ભાષા જ વિવાહ સુધી અધ્યયન ભાષા અને બોલી ભાષા ધરાવતી તે રાણી તરત જ બોલી, “મોદકૈઃ સિંચ”. તે જ ક્ષણે રાજાએ સેવકને નજીક બોલાવી તેના કાનમાં કંઈક કહ્યું. થોડી જ વારમાં સેવક મોદકથી ભરેલા પાંચ-છ પાત્રો ત્યાં લાવ્યો અને રાજા એક પછી એક મોદક નિશાન લગાવીને રાણી પર મારવા લાગ્યો. 
 
હું મોદક નો નૈવેદ્ય અર્પણ કરું છું.

સદ્ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુનાં નિવાસસ્થાને દર વર્ષે ઉજવાતા ગણેશોત્સવમાં, ગણપતિ બાપ્પાને ખૂબ જ પ્રેમથી મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે.

આ બધા વિચિત્ર પ્રકારથી પ્રથમ સંપૂર્ણ ગૂંચવણમાં પડેલી રાણી થોડી જ વારમાં સ્વસ્થ થઈ અને અન્ય રાજસ્ત્રીઓ અને અમાત્યો વગેરે રાજપરિવારના સભ્યોના ચહેરા પરના કુત્સિત હાસ્ય જોઈને અત્યંત લજ્જિત અને દુખી થઈ; કારણ કે રાણીને કહેવું હતું, “મા ઉદકૈઃ સિંચ” એટલે કે મને પાણીથી ભીંજવશો નહીં. પરંતુ ફક્ત સંસ્કૃત બોલી ભાષા જ જાણનાર તે અજ્ઞાની રાજાને સંસ્કૃતના વ્યાકરણના નિયમો ખબર ન હોવાથી 'મોદકૈઃ' નો સંધિ-વિચ્છેદ કર્યા વિના જ ખોટો અર્થ લીધો. આગળ કથા ખૂબ જ અલગ વળાંક લે છે પણ મને તો રાણીના શરીર પર મોદકોનો વરસાદ કરનારો તે મૂર્ખ રાજા જ આજકાલ અનેક રૂપોમાં ઠેર ઠેર ફરતો જોવા મળે છે. ગણપતિને મોદક ગમે છે અને દૂર્વા ગમે છે તેથી આદરપૂર્વક ગણપતિને આ વસ્તુઓ અર્પણ કરવી તે વિહિત જ છે, તેમજ તે પરમાત્માના રૂપો પણ અનેક; તેથી વિવિધ સ્વરૂપોમાં મૂર્તિઓ બનાવવી, તે પણ અત્યંત ઉચિત જ છે, પરંતુ આવા આ ગણપતિને દૂધ પીવડાવવા માટે ઠેર ઠેર કતારો લગાવવી એટલે પેલા રાજા્ની પુનરાવૃત્તિ જ છે. 
 
મને એક સમજાતું નથી કે ખરેખર ગણપતિને મોદક અત્યંત પ્રિય હોવા છતાં, તે ઠેર ઠેર દૂધ જ કેમ પીવે છે? મોદક કેમ નથી ખાતા? અને મુખ્ય એટલે આ પ્રશ્ન પણ આપણામાંથી કોઈને પડતો નથી. તે મંગલમૂર્તિ પરમાત્મા ભક્તોએ અત્યંત પ્રેમથી અર્પણ કરેલા સાદા રોટલીના વાસી ટુકડા પણ અત્યંત પ્રેમથી ગ્રહણ કરતા જ હોય છે, આમાં મને જરા પણ શંકા નથી. પછી ભલે મૂર્તિ સામેના નૈવેદ્યની થાળીમાંથી એક કણ પણ ઓછો થયેલો ન દેખાય તો પણ વાંધો નથી. ગીતામાં તો સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણએ જ સ્પષ્ટ રીતે પોતાના મુખેથી જ આ બાંયધરી બધા ભક્તોને આપી રાખી છે. મુખ્ય એટલે પરમાત્માને આવી વસ્તુઓ કરીને પોતાનું માહાત્મ્ય વધારવાની જરા પણ આવશ્યકતા લાગતી નથી, તેમજ જનમાનસમાં ભક્તિ વધારવા માટે પણ પરમાત્માને આવી ઉપાય યોજનાઓની જરા પણ જરૂર નથી. ભક્ત અને અભક્ત એવા દરેકના સમગ્ર અસ્તિત્વની સંપૂર્ણ જાણ ધરાવનારા અને દરેકના કર્મનું ફળ ફક્ત જેના હાથમાં છે, તે સાચા પરમાત્માને આવી વિચિત્ર વસ્તુઓની ક્યારેય આવશ્યકતા લાગતી નથી.' 

અગ્રલેખનો સમાપન કરતા સદ્‍ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુ લખે છે -  

'મિત્રો, તે પરમાત્માને જોઈએ છે તમારી અચળ શ્રધ્ધા, ભક્તિ અને કૃતજ્ઞતાની ભાવનાથી કરેલી ભગવાનની અને ભગવાનના અસહાય બાળકોની સેવા. આ જ ખરો નૈવેદ્ય, ખરું તો આ જ સર્વશ્રેષ્ઠ નૈવેદ્ય આ પરમાત્મા આખેઆખો ગ્રહણ કરે છે અને તેનું સહસ્ત્રગુણું ફળ પ્રસાદ તરીકે ભક્તને આપે છે. મોદક નૈવેદ્ય તરીકે જરૂર અર્પણ કરો અને ભાવથી પોતે પણ ખાઓ, પરંતુ મોદ એટલે આનંદ એ ભૂલશો નહીં. પરમાત્માને અને બીજાને આનંદ થાય તેવું વર્તન કરવું, એ જ સર્વશ્રેષ્ઠ મોદક છે.' 
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>>

Tuesday, July 22, 2025

મંગલમૂર્તિ મોરયા! - સદ્ગુરુ શ્રી અનિરુધ્ધબાપૂનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૦૯-૨૦૦૭)

મંગલમૂર્તિ મોરયા! - સદ્ગુરુ શ્રી અનિરુધ્ધબાપૂનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૦૯-૨૦૦૭)

મંગલમૂર્તિ મોરયા! - સદ્ગુરુ શ્રી અનિરુધ્ધબાપૂનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૦૯-૨૦૦૭)

નાનપણથી અમારા ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે શુધ્ધ વૈદિક સંસ્કારોનું હતું, પરંતુ તેમ છતાં જરાયે આભડછેટ, જાત-પાત, કર્મઠ કર્મકાંડનો લેશ પણ નહોતો. માઈ અને નાનીનું સંસ્કૃત સાહિત્યના અભ્યાસ પર પ્રભુત્વ અને સર્વ સંહિતાઓ મુખાગ્ર હોવાને કારણે વેદમંત્રોના શુધ્ધ અને  લયબદ્ધ ઉચ્ચારો હંમેશા કાને પડતા રહેતા. આજે પણ તે બંનેના અવાજમાં વૈદિક મંત્રો અને સૂક્તોના મધુર સ્વર અંતઃકરણમાં ઉમટતા રહે છે. ગણપતિની આરતી પછી ગવાતી મંત્રપુષ્પાંજલિ, જે આજના સમયના ‘શોર્ટકટ’ની જેમ ‘ॐ યજ્ઞેન યજ્ઞમયજન્ત….થી શરૂ ના થતાં ‘ॐ ગણાનામ્ ત્વા ગણપતિમ્ હવામહે....’ થી શરૂ થતી અને લગભગ અડધો થી પોણો કલાક ચાલતી. તેમાં આરોહ, અવરોહ, આઘાત, ઉદ્ધાર વગેરે સર્વ નિયમોનું પાલન કરીને પણ તે મંત્રપુષ્પાંજલિમાં માધુર્ય, કોમળતા અને સરળતા તેવી જ જીવંત રહેતી કારણ કે તે મંત્રોચ્ચારમાં શ્રેષ્ઠતાનાં પ્રદર્શન ની લાલસા નહોતી પરંતુ પૂર્ણ ભક્તિરસથી ભરેલું પ્રફુલ્લિત અંતઃકરણ હતું. 


આગળ ત્યારબાદ, મારી ઉંમરનાં પાંચમાં વર્ષે મારા મોસાળના ઘેર એટલે કે પંડિત કુટુંબના ઘરનાં ગણપતિ સામે તે બંનેએ મને મંત્રપુષ્પાંજલિની શાસ્ત્રીય પદ્ધતિ પહેલીવાર શીખવી. તે સમયે મારી માતાની ત્રણેય કાકીઓ, માઈ અને નાની, એમ પાંચ જણીઓએ મારી આરતી ઉતારીને મને ઘણા મોદક ખવડાવ્યા. તે સમય સુધી મારા મોસાળમાં હું એકમાત્ર પૌત્ર હતો અને તેથી જ સંપૂર્ણ પાધ્યે અને પંડિત કુટુંબોને અતિશય લાડકો હતો. તે જ દિવસે માઈએ પાધ્યે કુટુંબની પરંપરા અનુસાર બાલગણેશની પ્રતિષ્ઠાપના કરવાની પધ્ધતિ પણ મને સમજાવી અને તેથી જ આજે પણ અમારા ઘરમાં ગણેશચતુર્થીએ પ્રતિષ્ઠાપના થતી મૂર્તિ બાલગણેશની જ હોય છે.


મેં એકવાર માઈને પૂછ્યું કે “દર વર્ષે બાલગણેશ જ કેમ?” માઈએ મારા ગાલ પર હાથ ફેરવીને જવાબ આપ્યો, “અરે બાપુરાયા, બાળક ઘરે આવ્યું અને તેના આપણે લાડકોડ કરીએ ઍટલે પછી તેના કારણે તે બાળકની પાછળ તેના માતા અને પિતા આવે જ છે અને તેઓ હરખ પામે છે. આ બાલગણેશના ભક્તો દ્વારા કરાયેલા લાડકોડ અને ગુણગાન ને કારણે પાર્વતીમાતા અને પરમશિવનું પણ આપમેળેજ સ્વાગત અને પૂજન થતું હોય છે અને બીજું એટલે અજાણ્યા સામાન્ય માનવના સોહામણા નાના બાળક સાથે વર્તતા પણ આપણા મનમાં આપમેળે જ એક નિષ્કામ પ્રેમ પ્રગટ થતો હોય છે. તો પછી આ અત્યંત દેખાવડા મંગલમૂર્તિના બાલરૂપના સહવાસમાં ભક્તોના મનમાં જે ભક્તિપ્રેમ હશે તે તેવું જ નિષ્કામ અને પવિત્ર હશે નહીં કે?”



માઈની આ ભાવનાઓ એટલે એક અત્યંત શુધ્ધ અને પવિત્ર ભક્તિમય અંતઃકરણની રસદાર સહજવૃત્તિઓ હતી. અમે સર્વે પણ અક્ષરશઃ કરોડો લોકો ગણપતિ ઘરે બેસાડતા હોઈએ છીએ, ક્યાંક દોઢ દિવસ તો ક્યાંક દસ દિવસ. ભલેને વિવિધ પ્રકારની ગણેશમૂર્તિઓ હોય, પરંતુ આ વિઘ્નહર્તા ગણેશ સાથે અમે અમારા આત્મિયતાભર્યા, ભાવભર્યા અને પરિવાર જેવા  સંબંધ બનાવીએ છીએ ખરા?


ઘરે આવેલા ગણપતિને ફક્ત ઘરની પરંપરા ન તૂટે, તૂટે તો વિઘ્નો આવશે, આ ભાવનાથી જ અમુક જગ્યાએ લાવવામાં આવે છે. અમુક જગ્યાએ માનતા પૂરી કરવા માટે લાવવામાં આવે છે તો અમુક જગ્યાએ ફક્ત ઉત્સવ અને મોજમજા માટે લાવવામાં આવે છે. આવી ગણપતિસ્થાપનામાં મંત્ર હોય છે, મંત્રપુષ્પાંજલિ હોય છે, આરતી હોય છે, મહાનૈવેદ્ય હોય છે અને રીતરિવાજ અને શાસ્ત્રનું પૂરેપૂરૂં પાલન કરવાના ભય હેઠળનાં પ્રયાસ પણ હોય. પરંતુ આ બધી ધમાલ માં ખોવાઈ જાય છે, તે આ આરાધનાનો મૂળ ગર્ભ અર્થાત પ્રેમળ ભક્તિભાવ.


મંગલમૂર્તિ મોરયા અને સુખકર્તા દુખહર્તા, આ શ્રીગણપતિના બિરુદો ની દરેકને ખબર હોય જ છે. બલ્કે આ ‘સુખકર્તા દુખહર્તા’ બિરુદાવલીને કારણે જ તો અમે ગણપતિને ઘરે લાવવા તૈયાર હોઈએ છીએ, પણ ‘મંગલમૂર્તિ’ આ બિરુદનું શું? તે સિદ્ધિવિનાયક સર્વ કંઈ મંગલ કરવાનો જ છે પણ તેને ઘરે લાવ્યા પછી અમે તેને કેટલા  મંગલ વાતાવરણમાં રાખીએ છીએ? આ જ મહત્વનો પ્રશ્ન છે.


ફક્ત દુર્વાઓના મોટામોટા હાર ચઢાવીને, એકવીસ મોદક સવાર-સાંજ તેની સામે રાખીને, લાલ ફૂલો ચઢાવીને અને આરતીઓમાં મંજીરા કુટીને અમે અમારા તરફથી અને અમારી ક્ષમતા અનુસાર માંગલ્ય નિર્માણ કરતા હોઈએ છીએ ખરા? ઉત્તર મોટાભાગે ‘ના’ એમ જ મળશે.


તો પછી તે મંગલમૂર્તિને અમારી પાસેથી અપેક્ષિત ‘માંગલ્ય’ અમે  કેવી રીતે અર્પણ કરી શકીશું? ઉત્તર એકદમ સાદો અને સરળ છે. તે મૂર્તિનું સ્વાગત કરતી વખતે જાણે એક વર્ષ પછી પોતાનો જીગરજાન સ્વજન ઘરે પાછો આવી રહ્યો છે, આ ભાવના રાખો; એકવીસ મોદકો સહિત નૈવેદ્યથી ભરેલી થાળી તેની સામે રાખીને તેને લાડપૂર્વક આગ્રહ કરો, આવેલા મહેમાનોના આતિથ્ય સત્કારના દબદબા કરતાં તે ગણેશની આરાધના તરફ વધુ ધ્યાન આપો, આરતી ગાતી વખતે કોઈની સાથે સ્પર્ધા ન કરો અને મુખ્ય એટલે આ મહાવિનાયક પાછો તેના સ્થાને જવા નીકળે, ત્યારે અંતઃકરણ ગદગદિત થઈ ભરાઈ આવવા દો અને હકની પ્રેમળ વિનવણી થવા દો, ‘મંગલમૂર્તિ મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા.’(આવતાં વરસે વહેલા આવજો)  

અગ્રલેખના અંતે સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપૂ લખે છે -
‘મારા શ્રધ્ધાવાન મિત્રો, ‘પુઢચ્યા વર્ષી લવકર યા’, આ વાક્યનો અર્થ બરાબર સમજી લો. આવવાની તિથિ તો નક્કી થયેલી જ હોય છે, તો પછી ફક્ત મોંઢેથી ‘જલદી આવો’ કહેવા પાછળ શું અર્થ હોઈ શકે? આમાં એક જ અર્થ છે અને તે એટલે, આવતા વર્ષની રાહ ન જુઓ, હે મોરયા, હે મારા દેવ, તમે રોજ જ આવતા રહો અને તે પણ બને એટલું જલદીમાં જલદી’

मराठी >> हिंदी >> ಕನ್ನಡ>> বাংলা>> English>>

Friday, July 18, 2025

સદગુરુ અનિરુદ્ધ બાપૂનાં દૃષ્ટિકોણ થી ગણેશભક્તિ

 
આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ, ત્યારે તે નિર્વિઘ્ને પાર પડે તે માટે આપણે આપણા વિઘ્નહર્તા શ્રીગણેશનું સ્મરણ કરીએ છીએ, પૂજન કરીએ છીએ અને તેમની પ્રાર્થના કરીએ છીએ. આપણામાં અક્ષરો લખતા શીખતી વખતે પણ, આપણે સૌથી પહેલા 'શ્રીગણેશાય નમઃ' એમ જ લખવાનું શીખીએ છીએ. ભલે ગમે તેટલા અલગ અલગ દેવોના મંદિરો હોય, પરંતુ શ્રીગણેશ દરેક મંદિરના ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર બિરાજમાન હોય જ છે. 'મંગલમૂર્તિ શ્રીગણપતિ' ખરેખર બધા શુભ કાર્યોના અગ્રસ્થાને રહેલા, આપણા ભારતભરમાં નાનાથી માંડીને મોટા સુધી બધાને જ પ્રિય એવા દેવતા છે.

આવા ગણપતિ વિશે, દૈનિક 'પ્રત્યક્ષ'ના કાર્યકારી સંપાદક ડો. શ્રી અનિરુદ્ધ ધૈર્યધર જોષી (સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ)એ તેમના અભ્યાસ અને ચિંતનમાંથી આવેલા વિચારો વિવિધ અગ્રલેખો દ્વારા રજૂ કર્યા છે. આ અગ્રલેખો ફક્ત માહિતી પૂરતા મર્યાદિત નથી, પરંતુ શ્રધ્ધાવાનોનાં મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના ઉત્તર આપનારા, ભક્તિને વધુ અર્થપૂર્ણ બનાવનારા અને ગણપતિના વિવિધ રૂપોની ઊંડાણપૂર્વક ઓળખ કરાવનારા છે.

આ અગ્રલેખોમાં બાપુએ વેદ, પુરાણો, સંતવાઙ્મયમાંથી ગણપતિનું સ્વરૂપ અને તેની પાછળનું તત્વજ્ઞાન અત્યંત સહજ, સરળ ભાષામાં સ્પષ્ટ કર્યું છે. બ્રહ્મણસ્પતિ-ગણપતિ સંકલ્પના, વિશ્વનો ઘનપ્રાણ ગણપતિ, ગણપતિની જન્મકથા પાછળનો સિદ્ધાંત, સાર્વજનિક ગણેશોત્સવ પાછળની ભૂમિકા, મૂલાધારચક્રના અધિષ્ઠાતા ગણપતિ, ગણપતિના મુખ્ય નામો, તેમનું વાહન મૂષકરાજ, વ્રતબંધ કથા, મોદક કથા અને તે કથાઓનો ભાવાર્થ... આ બધી બાબતો બાપુએ એવી રીતે રજૂ કરી છે કે જાણે તેઓ આપણા મનના પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા હોય.

ગણપતિ આ દેવતા સંબંધિત આ વિવેચન શ્રધ્ધાવાન ભક્તો માટે માત્ર માહિતી નથી, પરંતુ ભાવનાત્મક દૃષ્ટિકોણથી પોતાની ભક્તિ અને શ્રદ્ધાને વધુ દૃઢ કરનારું છે.

દૈનિક 'પ્રત્યક્ષ' માંથી અલગ અલગ સમયે પ્રકાશિત થયેલા આ અગ્રલેખો હવે બ્લોગપોસ્ટના રૂપમાં આપ સૌ માટે ઉપલબ્ધ થઈ રહ્યા છે — બાપુએ આપેલા તે અમૂલ્ય વિચારોની સુગંધ આપણા મનોમાં ફેલાય તે એકમાત્ર ઉદ્દેશ્યથી. 

AD (728x60)